Posts

School Innovation Council - State Level Workshop

Image
  School Innovation Council  State Level Workshop  જી.સી.ઈ.આર.ટી, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,વલસાડ આયોજિત ત્રિ-દિવસીય રાજ્યકક્ષાની સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ - અભિમુખતા કાર્યશાળામાં આણંદ જિલ્લાના પ્રતિનિધિ તરીકે હાજરી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં યોજાયેલી આ કાર્યશાળામાં ખુશનુમા અને શાંત જગાએ કઈંક નવું જાણવા-માણવા મળ્યું. જે ચર્ચાઓ થઈ એ તો જિલ્લા કક્ષાએ જ કરીશું, પણ જ્યાં રોકાઈને કાર્યશાળામાં સહભાગી બન્યા તે જગાની થોડી વાત કરી લઈએ.    ધરમપુરથી 3 કિમી.ના અંતરે મોહનગઢ ખાતે નયનરમ્ય જગાએ આવેલ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ એક અધ્યાત્મ અને પરમ કલ્યાણની દ્યોતક છે. એક આત્મસાક્ષાત્કાર સંત, જૈન ધર્મના સુધારક અને 19મી સદીના ઉત્તરાર્ધના નોંધપાત્ર કવિ, તત્વચિંતક અને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રેરણાથી આ આશ્રમમાં વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.  તેમણે વિશ્વને આપેલો એક સમૃદ્ધ વારસો આપ્યો જે સાધકોની પેઢીઓને માર્ગદર્શન આપે છે. લાખો લોકોને આંતરિક શાંતિ અને આનંદથી સશક્ત કરતા, પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈ એક પ્રબુદ્ધ ગ...

'સરદારની અસરદાર એકતા'

Image
 'સરદારની અસરદાર એકતા'           સમગ્ર ભારતવર્ષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આપણે એમના કરેલા લોખંડ જેવા મજબૂત અને અસરદાર કાર્યો તથા વિચારોને યાદ કરવા જ પડે. ભારતના છુટાછવાયા રજવાડાને એક કરી અખંડ ભારતનું   નિર્માણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ  31  મી ઓક્ટોબરને   ‘ રાષ્ટ્રીય એકતા દિવસ ’  તરીકે મનાવવામાં આવે છે.  1600  થી વધુ ભાષાઓમાં વાર્તાલાપ કરતો ભારત દેશ હિન્દૂ ,  મુસ્લિમ ,  શીખ ,  ઈસાઈ ,  જૈન અને પારસી સમુદાય વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ , પોશાકો અને રીત રિવાજોમાં   પણ આજે એક થઈને જીવી રહ્યો છે તેના પાયામાં સરદાર પટેલનો મોટો ફાળો રહેલો છે .         31  ઓક્ટોબર  1875 ના રોજ નડિયાદમાં જન્મેલ સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ જિલ્લાના કરમસદના વતની હતા. પિતા ઝવેરભાઇ તથા માતા લાડબાના સંસ્કારો લઈને ઉછર્યા હતા. પ્રાથમિક શિક્ષણ કરમસદમાં લીધું ,  પેટલાદની શાળામાં અંગ્રેજી પાંચમું ધોરણ પાસ કરી નડિયાદની સરક...

ગીતા જ્ઞાન, સબસે મહાન

Image
 ગીતા જ્ઞાન, સબસે મહાન           આજથી 5000થી વધુ વર્ષો પહેલાં કુરુક્ષેત્રની રણભૂમિમાં-મહાભારતના યુદ્ધમાં અસમંજસમાં ફસાયેલા અર્જુનને  નિમિત્ત બનાવી સૌના હૃદયસમ્રાટ અને પ્રેમનું પ્રતીક એવા ભગવાન શ્રીકૃષ્ણના મુખે ગવાયેલી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આજે જન્મદિવસ છે. વેદવ્યાસ રચિત મહાભારતના ભીષ્મપર્વના અધ્યાય 25 થી 42 એ 18 અધ્યાય એટ્લે શ્રીમદ ભગવદગીતા. 18 અધ્યાય અને 700 શ્લોકોમાં ગૂંથાયેલી આ ગીતા વિશ્વને ઉચ્ચત્તમ તત્વજ્ઞાન આપી રહી છે. અત્યાર સુધીમાં સાંસ્કૃતિક કે ધાર્મિક હેતુથી લખાયેલા ધર્મગ્રંથોમાંથી એકપણ પુસ્તકનો જન્મદિવસ મનાવવામાં આવતો નથી, પણ શ્રીમદ ભગવદગીતાની એક પુસ્તક તરીકે નહિ, પણ ધર્મગ્રંથ તરીકે જન્મજયંતી ઉજવાતી રહી છે. અર્જુન વિષાદયોગથી શરૂ થયેલી તત્વજ્ઞાનની અનુષ્ટુપ છંદમાં જ્ઞાન, કર્મ અને ભક્તિના શ્લોકોમાં રચાયેલી  વિચારધારાનો પ્રવાહ મોક્ષસંન્યાસ યોગ સુધી વહેતો રહ્યો છે.એનું કારણ છે કે, આ ગીતાનો ગાનાર ખુદ ભગવાન શ્રીકૃષ્ણ છે.           હતાશ અને નિરાશ થયેલા માનવસમાજને સાહસ, શ્રદ્ધા અને આશ્વાસન આપવા પ્રભુએ અર્જુનને નિમિત્ત બનાવ...

ગિજુભાઈ અને પુસ્તકાલય

Image
  ગિજુભાઈ અને પુસ્તકાલય         આજે બાળવાર્તા સાહિત્યકાર ગિજુભાઈ બધેકાનો જન્મદિવસ છે. આપણે સૌ જ્ઞાત છીએ કે , 2021 થી ગિજુભાઈ બધેકાના જન્મદિવસને “બાળવાર્તા દિન” તરીકે ઉજ્વવાનું નક્કી કરાયું છે . ચાલો , આજે સુપ્રસિદ્ધ બાળવાર્તાકારની અવનવી વાતો વિશે જાણવાની સાથે સાથે પુસ્તકાલયની વાત પણ જાણીએ.         બાળવાર્તાઓ બાળકોને અનોખી સફરે લઈ જાય છે , કલ્પનાના વિશ્વમાં લટાર કરાવે છે. બાળકોને પાંખ આપવાનું કામ કરે છે વાર્તાઓ. પક્ષીઓ , પ્રાણીઓ , રાજા , રાજકુમારો , પરીઓ અને અન્ય પાત્ર દ્વારા એક ચોક્કસ વિચાર સાથે જીવનની ગળથૂથી પીવડાવવામાં આવે છે. આ કામ કર્યું આપણી ‘ મૂછાળી મા ’ ( ગિજુભાઈ બધેકા ) એ. તેઓએ ગુજરાતી ભાષાના માધ્યમથી બાળકોને ભાવવિશ્વનું સરનામું ચીંધ્યું છે. બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર ગિજુભાઈએ સાદી અને સરળ ભાષામાં આનંદપ્રદ , માહિતીપ્રદ અને કલ્પનાના વિશ્વને ઉજાગર કરતા બાળસાહિત્યની એક નવી દિશા ખોલી આપી છે.         200 થી વધુ પુસ્તકો લખનાર ગિજુભાઈ માનતા હતા કે , જો બાળકો સાથે આદરપૂર્વક વર્તન કરવામાં આવે ...

બાપૂ, સત્ય અને આપણે – 2024

Image
  બાપૂ , સત્ય અને આપણે – 2024 બાપૂના વિચારો સહિત જીવવાનો પ્રયાસ એટલે સત્ય દિવસ. સત્ય શાશ્વત અને સનાતન હોય છે. આ સત્યનું માનવીજીવનમા એટલું જ મહત્વ રહેલું છે. ‘ સાદું જીવન ઉચ્ચ વિચાર ’ ની વાત સાથે જીવવાનું ગમે એટ્લે આજે થોડું સત્ય લખવાનું પણ મન થયું .         જીવનના દરેક બારામાં સત્ય સાથે જીવવાની તૈયારી હોય તો જ બાપૂને અનુસરી શકાય એમ હું માનું છુ. નાત-જાત અને છૂત-અછૂતના ભેદભાવોથી પર રહીને નઈ તાલીમના વિકારો ધરાવતા સંતને આજના દિને નમસ્કાર તો હોય જ , પણ સાથે સાથે એમની વિચારધારા જો આપના જીવનમાં ના ઉતારી તો અધૂરા જ કહેવાઈએ. આપણા વિચાર , વાણી અને વર્તનમાં પૂર્ણત : સત્ય આવે એ ઓછું શક્ય છે , પણ નિરપેક્ષ સત્ય જીવનમાં લાવવાનો પ્રયાસ મનને સ્વચ્છ અને સુઘડ ચોક્કસ બનાવે. કુટુંબ , સમાજ અને દેશ માટે કંઇક કરી છૂટવાની ભાવના આપણા અહંકારને ઓગાળી સ્વભાવને બદલાવશે.         વિદેશીઓને પણ ગાંધીજીના હોવાથી ભારત તીર્થ લાગતું હોય તો એ સૂકલકડી કાયા ધરાવતા ‘ મહાત્મા ’ ને કેમ ભૂલી શકીએ. કદાચ આ ‘ રા ષ્ટ્ર્પિતા ’ ન હોત તો આપણે સ્વતંત્ર થયા હોત કે કેમ એ પ્રશ્...

શ્રીકૃષ્ણ જન્મોત્સવ - '24

Image
  શ્રીકૃષ્ણ જન્મોત્સવ :     આજના વરસાદી વાતાવરણમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ આજના દિવસે માનવ અવતાર ધારણ કરી આપણી વચ્ચે આવ્યા એ આપણા જેવા અર્જુનોને માર્ગ દેખાડવા આવ્યા તે સૌ માટે સદભાગ્ય છે. નટખટ કૃષ્ણથી પૂર્ણ પુરુષોતમ સુધીના કોઈપણ સમયગાળાની વાત કરીએ તો પહેલાં પ્રભુ મુખે ગવાયેલી શ્રીમદ ભગ્વદ્ગીતાને યાદ કરવી જ પડે. મહાભારતના ભીષ્મ પર્વનો ભાગ એટલે શ્રીમદ્ ભગવદ્ગીતા. જે અનુષ્ટુપ છંદમાં લખાયેલી છે. રણાંગણમાં મોહભંગ થયેલા અર્જુનને અપાયેલો ઉપદેશ એટ્લે શ્રીમદ્ ભગવદ્ગીતા. અદ્ભુત યોગવિદ્યા જાણકાર મહા તપસ્વી વેદવ્યાસ રચિત શ્રીમદ્ ભગવદ્ગીતા  5000  થી પણ વધુ વર્ષો પહેલાં ગવાયેલી છે અને હાલ  1400 થી વધુ ભાષાઓમાં અનુવાદિત પણ કરવામાં આવેલી છે. શ્રીમદ્ ભગવદ્ગીતા બ્રહ્મજ્ઞાન ,  કર્મ ,  ભક્તિ અને જીવનના સારરૂપ  18  અધ્યાયમાં સમાવિષ્ટ  700  શ્લોકો (અસલમાં ગીતા  745  શ્લોકોની હતી એવું માનવામાં આવે છે. કાળક્રમે એમાંથી  45  શ્લોકો નીકળી ગયા હશે.)માં વણાયેલા અમૃત વચનો આજે સમગ્ર માનવજાતન...

મસ્તક બદલાવે તે પુસ્તક...2024

Image
  વિશ્વ પુસ્તક દિવસ - પુસ્તકો, બાળકો અને દુનિયા    23  એપ્રિલ સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિવસ ”  તરીકે ઉજવવામાં આવે   છે. આ દિવસ મહાન લેખક વિલિયમ શેક્સપિયરનો   પણ   જન્મ તથા મરણદિન   છે. આથી યુનેસ્કો દ્વારા 1925 થી દર વર્ષે 23 એપ્રિલે સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિન” ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું.   શેક્સપિયરના   સાહિત્યક્ષેત્રે આપેલા   યોગદાનને જોતાં   ભારત સરકારે પણ 2001 માં આ દિવસને “વિશ્વ પુસ્તક દિવસ”ની માન્યતા આપી હતી.   આવનાર નવી પેઢીને પુસ્તકોના વાંચનમાં રસ પડે પડે અને જાગૃતિ કેળવાય તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભારતના મોટાભાગના પુસ્તકાલયોમાં વાંચન રુચિ કેળવાય તે હેતુથી કાર્યક્રમો યોજવામાં આવે છે.   યુનેસ્કો દ્વારા   પણ   રીડિંગ ,  પબ્લિસિંગ તથા કૉપીરાઇટના પ્રચારહેતુ આ દિવસની ઉજવણી   કરવામાં આવે   છે.   કાકાસાહેબ કાલેલકર એવું કહેતા કે ,  પુસ્તકો એટ્લે “વ્યક્તિના વિચારોનું વસિયતનામું અને લેખકના દિલનો દસ્તાવેજ છે.”   એકસારું પુસ્તક માણસની જિંદ...